Posts

અર્ધજાગૃત મનની અદભુત શક્તિ ભાગ -1 દેવ ડી. ચાવડા मन ही मन को जानता, मन की मन से प्रीत। मन ही मनमानी करे, मन ही मन का मीत।। मन झूमे, मन बावरा, मन की अद्भुत रीत। मन के हारे हार है, मन के जीते जीत।। । ગુજરાતી બાલવાર્તા અને સાહિત્યના શોખીન પૈકી ભાગ્યેજ એવા હશે જેમણે ગજુભાઈ બધેકાની વાર્તા “દલો તરવાડી” વાંચી કે સાંભળી નહી હોય. આમ તો આ એક રમુજી બાળવાર્તા છે પરંતુ એ વાર્તામાં માનવ મનનું અદભુત મનોવિજ્ઞાન છે. મારી દૃષ્ટિએ આ વાર્તા માત્ર બાળપણમાં નહી પરંતુ યુનિવર્સિટી ના સાયકોલોજીના અભ્યાસ ક્રમમાં સામેલ કરવા જેવી છે. કારણ કે ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ કોઈ આવી વાર્તા હશે જે માનવ મનને આટલી સચોટ રીતે રજૂ કરી શકતી હોય. વાર્તામાં દલો તરવાડી જ્યારે રીંગણાં લેવા જાય ત્યારે વાડીએ કોઈ ન હોવાથી વાડીને પૂછે છે કે વાડી રે બાઈ વાડી! પરંતુ વાડી તો શું બોલે ? એટલે દલા તરવાડીએ પોતે જ વાડી તરીકે જવાબ આપ્યો કે બોલોને દલા તરવાડી ? એટલે દલા એ કહ્યું કે રીંગણાં લઉં બે ચાર ? ફરી દલા એ પોતે જ વાડી તરીકે જવાબ આપે છે કે લોને દસ બાર ! વાસ્તવમાં દલા તરવાડીના આ સંવાદ એટલે માનવના જાગૃત અને આજગૃત મનના સંવાદ છે.દલો તરવાડી એટલ...

વન્ડર્સ ઓફ બ્રેઇન

Image
વન્ડર્સ ઓફ બ્રેઇન માનવ મગજના કેમિકલની કમાલ -1 "ડોપામીન" ઘણા દિવસે સ્વાતિ અને સોહમે મોલમાં શોપિંગ કરવા જવાનું નક્કી કર્યું સાથો સાથ એવું પણ નક્કી કર્યું કે લંચ પણ બહાર લેશું. આ પ્રોગ્રામથી સ્વાતિ ખૂબ ખુશ હતી એમણે તો શોપિંગનું લીસ્ટ પણ તૈયાર કરી લીધું પરંતુ જ્યારે રવિવારે જવાનો સમય થયો ત્યારે સોહમે કહ્યું કે સોરી ડિયર આજે શોપિંગ માં નહીં જઈ શકીએ મારું માથું દુખે છે એટલે મારો બિલકુલ મૂડ નથી. પરંતુ  સ્વાતિને સમજાયું નહીં કે અત્યાર સુધી તો સોહમ એકદમ બરાબર હતો તો પછી  અચાનક શું થઈ ગયું ? સ્વાતિએ કહ્યું ઠીક છે તો જવાનું કેન્સલ કરીયે. પરંતુ  સ્વાતિ ની ખુશી એકાએક ગાયબ થઈ ગઈ અને દુઃખી મને સ્વાતિ બેડરૂમમાં જઇ ને સુઈ ગઈ. થોડીવારમાં સોહમનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો એટલે સ્વાતિએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે આટલું હસવું કેમ આવે છે એટલે સોહમ જવાબ આપ્યો કે એતો વોટસએપ ગ્રુપમાં એક મિત્રએ એવી વાત કરી એટલે. થોડીવાર પહેલાં જે માથું દુખવાની અને મૂડ ઓફ હોવાની વાત કરતો હતો એ સોહમ અત્યારે મિત્રો સાથે ચેટ કરવામાં ખુશ ખુશાલ જાણતો હતો. જ્યારે શોપિંગ માટે જવા તૈયાર થયેલી ખુશ ખુશાલ સ્વાતિ એકદમ દુઃખી જણાત...

કર્મ અને ફળ

Image
કર્મ અને ફળ कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन | શ્રીમદ્ ભાગવદ્ ગીતાના બીજા અધ્યાયના ૪૭ મો આ વિખ્યાત શ્લોકનો અર્થ આપણે સૌ જાણીએ છીએ કે "કર્મ  પર તારો અધિકાર છે ફળ પર નહી " અહીઁ કર્મ એટલે કામ, કાર્ય કે કર્તવ્ય. આપણાં શાસ્ત્રોથી લઈને નવલકથા, ફિલ્મો અને વેબ સિરીઝ સુધીમાં કર્મ વિશે ખૂબ લખાયું અને દર્શાવાયું છે. અને તેમ છતાં પણ આપણા જેવા સામાન્ય માણસને ઉપરના શ્લોકનો અર્થ પૂછીએ તો જવાબ એક સરખો જ મળે " કામ કર પણ ફળની અપેક્ષા ન રાખ" બીજા શબ્દોમાં કહીએ તો એવું કાર્ય જેમાં કોઈ પરિણામની અપેક્ષા નથી. ખરેખર શું એવું કોઈ કાર્ય હોય જેનું પરિણામ ન મળવાનું હોય તેમ છતાં પણ કરવાની ઈચ્છા થાય ? હું માનું છું કે આ વાત લગભગ સામાન્ય માણસ માટે અસંભવ છે. સંસ્કૃતનો એક શ્લોક છે प्रयोजनमनुद्दिश्य न मन्दोपि प्रवर्तते। અર્થાત્ " પ્રયોજન વગરનું કાર્ય તો મંદબુદ્ધિની વ્યક્તિ પણ નથી કરતી" પ્રિયજનો , આ બાબત આપણે એક સાવ નાના એટલે કે ત્રણ - ચાર મહિનાના બાળકનું ઉદાહરણ લઈએ તો જે બાળક તદન નિર્દોષ અને કુદરતના અભેળ અંશ સમાન છે, જે સ્વાર્થ,લોભ,લાલચ અજાણ છે એવું બાળક જ્યારે એન...

ફટકેલો ફાગણ

Image
ફટકેલો ફાગણ દેવ ડી ચાવડા તા.05/03/2023 होरी खेलन में चली, किस विध खेली जाय  । जब उतरे रंग पियु का तब ही तो खेली जाय ।। યૌવનની વસંતને કેશુડાના રંગે રંગી પ્રીતની હોલી ખેલતો એટલે ફટકેલો ફાગણ...  કાઠિયાવાડમાં કોઈ સાંઢ, આખલો કે માણસ માથાભારે થઈ જાય એના માટે ફટકેલો શબ્દ વપરાય છે ફટકેલો એટલે  મદમસ્ત ... વસંત અને તેમાં આવતી હોળી એ એક એવો તહેવાર છે કે દરેક યુવા રદય પોતાના કેશુડાના રંગે પોતાના પ્રેમી પાત્રને  રંગવા આતુર થઈ જાય. એ ગોકુળની ગલીઓ હોય, ગામનો ગોંદરો હોય કે મેટ્રોપોલિટન શહેરની પૉશ સોસાયટી પણ દરેકના રદયમાં ફાગણિયાના શૂર તો  સરખાજ વાગે છે. જીવનમાં કદાચ હોળીનો રંગ જ એવો છે જેના છાંટા તો શરીર પર પડે છે પણ એના રંગે રદય રંગાય છે ભારતમાં ઋતુઓનો રાજા એટલે વસંત અને એમાં પણ ફાગણ એટલે વસંતનું યૌવન અને આ યુવા રાજાના મુકુટની કલગી સમો કેશૂડો જાણે કે પોકારી પોકારીને કહેતો હોય કે, જીવન જર્જરિત થઈ જાય તે પહેલાં  આ મદમસ્ત મૌસમના રંગે રંગાઈ જા. મિત્રો આ તો વાત થઈ હોળીના રંગ અને પ્રેમની, પરંતુ શું તમે જાણો છો કે હિન્દુઓના દરેક તહેવાર પાછળ આપણું વૈદિક વિજ્ઞાન અને કોઈ ચોક્કસ તાર...