વન્ડર્સ ઓફ બ્રેઇન

વન્ડર્સ ઓફ બ્રેઇન

માનવ મગજના કેમિકલની કમાલ -1 "ડોપામીન"










ઘણા દિવસે સ્વાતિ અને સોહમે મોલમાં શોપિંગ કરવા જવાનું નક્કી કર્યું સાથો સાથ એવું પણ નક્કી કર્યું કે લંચ પણ બહાર લેશું. આ પ્રોગ્રામથી સ્વાતિ ખૂબ ખુશ હતી એમણે તો શોપિંગનું લીસ્ટ પણ તૈયાર કરી લીધું પરંતુ જ્યારે રવિવારે જવાનો સમય થયો ત્યારે સોહમે કહ્યું કે સોરી ડિયર આજે શોપિંગ માં નહીં જઈ શકીએ મારું માથું દુખે છે એટલે મારો બિલકુલ મૂડ નથી. પરંતુ  સ્વાતિને સમજાયું નહીં કે અત્યાર સુધી તો સોહમ એકદમ બરાબર હતો તો પછી  અચાનક શું થઈ ગયું ? સ્વાતિએ કહ્યું ઠીક છે તો જવાનું કેન્સલ કરીયે. પરંતુ  સ્વાતિ ની ખુશી એકાએક ગાયબ થઈ ગઈ અને દુઃખી મને સ્વાતિ બેડરૂમમાં જઇ ને સુઈ ગઈ. થોડીવારમાં સોહમનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો એટલે સ્વાતિએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે આટલું હસવું કેમ આવે છે એટલે સોહમ જવાબ આપ્યો કે એતો વોટસએપ ગ્રુપમાં એક મિત્રએ એવી વાત કરી એટલે. થોડીવાર પહેલાં જે માથું દુખવાની અને મૂડ ઓફ હોવાની વાત કરતો હતો એ સોહમ અત્યારે મિત્રો સાથે ચેટ કરવામાં ખુશ ખુશાલ જાણતો હતો. જ્યારે શોપિંગ માટે જવા તૈયાર થયેલી ખુશ ખુશાલ સ્વાતિ એકદમ દુઃખી જણાતી હતી. એમણે સોહમને કહ્યું કે મારી તબિયત સારી નથી એટલે આજે જમવાનું નહી બનાવી શકું. આમ એક ઘટનામાં કારણે  જે ખુશ હતું એ દુઃખી થઈ ગયું અને જે દુઃખી હતું એ ખુશ થઈ ગયું. આવું શા માટે બન્યું ? એને માટે કયા કારણો જવાબદાર છે? તો એનો જવાબ છે કે  આવું થવા પાછળ જવાબદાર છે મગજનું ડોપામીન નામનું કેમિકલ. 

આમ તો આવાં જ અથવા આના જેવા જ બનાવો આપણી રોજ બરોજની જિંદગીમાં અને આપણી આસપાસના લોકોમાં સાવ સામાન્ય રીતે બનતાં જ હોય છે.જેમાંથી કેટલાક સહજતાથી ભૂલાઈ જ્તાં હોય છે અને અમુક જીવનભરની છાપ છોડી જતાં હોય છે આપણે અવાર નવાર સમાચારોમાં જોતાં રહીએ છીએ કે અમુક ખૂબ પ્રસિદ્ધ વ્યક્તિએ આત્મહત્યા કરી. ત્યારે આપણને વિચાર આવે કે એ વ્યક્તિના જીવનમાં એવું તો શું બન્યું હશે કે એમણે મહામૂલા જીવનને છોડી મરવા મજબૂર બની ?

કુદરતે આપણાં મગજની રચના દેખાવમાં જેવી અજબ ગજબની કરી છે તેવી જ તેની કાર્યશીલતા પણ કલ્પનાતીત છે.આપણાં રોજબરોજના જીવનમાં આપણે “હેપી હોર્મોન્સ”, “મૂડ એલિવેટર્સ”, “હોર્મોનલ ઈમ્બેલેન્સ” જેવાં શબ્દો આપણે ઘણીવાર સાંભળ્યા હોય છે પણ હકીકતે આપણાંમાંથી મોટાભાગના લોકો જાણતાં નથી કે,
અકારણ ગુસ્સો, તણાવ, મૂડ સ્વિંગ કોઈ ચોક્કસ કારણ વગર શરીર માં થતા દુખાવા એ  “મગજ કેમિકલ્સ ના ઇમબેલેન્સ” નું કારણ હોઈ શકે છે.

તો ચાલો આજે મગજ કેમિકલ્સની કમાલ વિશે જાણીએ.


(1)ડોપામીન શું છે ?
ડોપામીન એ મગજ નું એવું  કેમિકલ છે જે ન્યુરો ટ્રાન્સમિટરની જેમ મગજને સંદેશા આપવાનું કામ કરે છે.
ડોપામીન મગજમાં બનવાની આખી પ્રોસેસનો અભ્યાસ કરીએ તો,પ્રથમ ટાયરોસીન નામના એમિનો એસિડમાંથી ડોપા નામનું તત્વ બને છે અને ત્યારબાદ તેમાંથી ડોપમાઇન હોર્મોન્સ બને છે
ડોપમાઇનને “પ્લેઝર ન્યુરોટ્રાન્સમીટરથી” તરીકે પણ ઓળખાય છે.

(2)ડોપામીનનો કયાં ઉત્ત્પન્ન થાય છે?
મગજના વેન્ટ્રીકલ ટેગમેન્ટલ એરિયા અને હાયપોથેલેમસ ગ્લેન્ડસમાંથી ડોપામીન નામના ન્યુરોહોર્મોન્સનો સ્ત્રાવ થાય છે.
1910માં પ્રથમ વાર જ્યોર્જ બર્ગર અને જેમ્સ ઇવેન્સે તેને લેબોરેટરીમાં સિન્થેસાઈઝડ કરેલું.
ડોપામીનનો સ્ત્રાવ મનુષ્યો સિવાય પ્રાણીઓમાં પણ થાય છે.2000 માં ફિઝિઓલોજી અને મેડીસીનમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર એર્વિડ કાર્લસનના આવિષ્કાર મુજબ ડોપામીન એ માત્ર નોરપીનોફ્રીન અને એપીનોફ્રીનનું પ્રાથમિક બંધારણ નથી પરંતુ ન્યુરોટ્રાન્સમીટર છે જે મગજના સંકેતોને શરીર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે.

(3) ડોપામીન નો સ્ત્રાવ ક્યારે થાય છે ?





જ્યારે કોઈપણ વ્યક્તિ એવી પ્રવૃત્તિ કરે જેનાં પરિણામ સ્વરૂપ બદલામાં તેને ખુશી મળે તેવી પ્રવૃત્તિથી મગજ માં ડોપામીન રિલીઝ થાય છે. 
જેમકે;
કોઈ ગિફ્ટ આપે , 
સરપ્રાઈઝ પાર્ટી આપે, 
ખુશખબર,
ગમતું ફૂડ,
ગમતું મ્યુઝિક 
સેલેરી
,બોનસ.કોઈ આનંદ દાયક ઘટના બનવાની રાહ જોતા હોઈએ, આશા હોય ત્યારે ડોપામીનનો સ્ત્રાવ થાય છે.


(4) ડોપામીન નું કાર્ય
ડોપામીનથી મનુષ્યની માનસિક શારીરિક સ્થિતિ પર ખૂબ મોટી અસર થાય છે.
મેમરી,મુવમેન્ટ,
મોટિવેશન,
રિવોર્ડ જેવી પ્લેઝરથી મળતી ફીલિંગ્સ માટે જવાબદાર છે. 

(5) ડોપામીન ના ઇમબેલેન્સ ની અસરો
સામાન્યરીતે ડોપામીન એ રિવોર્ડ કેમિકલ છે.જેથી મગજ માં ડોપામીન નો સ્ત્રાવ જ્યારે યોગ્ય પ્રમાણ માં થાય ત્યારે રોજ બરોજની જિંદગી માં ઉત્સાહ, સાહસ,આનંદ, ચુસ્તી સ્ફૂર્તિ જળવાઇ રહે છે પરંતુ જ્યારે ડોપામીન ના લેવલ માં વધારો કે ઘટાડો થાય ત્યારે અનેક પ્રકાર ની નાની મોટી સમસ્યા સર્જાય છે

હાઈ ડોપામીન લેવલ (ડોપામીનનું વધુ પ્રમાણ)

ડોપામીનનું પ્રમાણ વધી જવાથી;
અગાઉ આપણે જોઉં તેમ ડોપામીન એ રિવોર્ડ ફંક્શનલ કેમિકલ છે પરિણામે જે પ્રવૃત્તિથી  વ્યક્તિના મગજમાં ડોપામીનનો સ્ત્રાવ વધુ થાય તેવી પ્રવૃત્તિ વારંવાર કરવા પ્રેરાય છે પરિણામે વ્યક્તિને તે પ્રવૃત્તિનું વ્યસન થઈ જાય છે . 
સ્મોકિંગ, જુગાર, દારૂ,હાઇપર સેક્સુઆલિટી,ગુન્હાખોરી વગેરે જેવા દુષણોના રવાડે ચડી જાય છે.
આપણે જેને બકવાસ અથવા લવારો કહીએ છીએ તેના પર અમુક લોકો અચાનક ચઢી જતાં હોય છે તેનું કારણ પણ હાઈ ડોપામીન લેવલ છે.
વગર વિચાર્યું સાહસ(રિસ્કી બીહેવીયર)પણ આ જ કારણે જોવા મળે છે.આખું વિશ્વ જેનાથી પરિચિત છે તે “બ્લ્યુ વ્હેલ ગેઇમ” એ ઈન્ટરનેટ એડીક્શનને કારણે ડોપામીનના વધુ પડતાં સ્ત્રાવને કારણે મળતાં આનંદનું એક્સ્ટ્રીમ ઉદાહરણ છે જેમાં લોકો આત્મહત્યા કરવાનું સ્ટેપ પણ સ્વેચ્છાએ સ્વીકારી લેતાં હતાં જે રમત પર હવે તો પ્રતિબન્ધ મુકાઈ ગયો છે.

ડોપામીનના વધુ પડતા સ્ત્રાવના કારણે વ્યક્તિ ઉન્માદની સ્થિતિમાં પહોંચી જાય છે જેના પરિણામે
કોઈ એક વાત નું વળગણ,
ભ્રમ, અને ગાંડપણ આવી શકે છે 
તે સિવાય અકારણ ગુસ્સો,
વજન માં વધારો કે ઘટાડો થાય છે,
અનિંદ્રા, 
સતત ઉબકા આવવા જેવી તકલીફ થાય છે. 

લો ડોપામીન લેવલ (ડોપામીનની ઉણપ)
ડોપામીન ઘટવાને કારણે ;
કબજિયાત 
પાર્કિન્સન્સ જેવા રોગ 
વ્યક્તિનું કોઈ કામમાં મન નથી લાગતું, 
નિર્ણય શક્તિ ઘટી જાય છે,
અમુક વ્યક્તિઓ અચાનક મૌન બની જતાં હોય છે,
જાતીય જીવનમાં ઉદાસીનતા આવે છે.  
સાહસની વૃત્તિ ઘટી જાય છે, 
જીવન નકામું લાગવા માંડે છે, 
વ્યક્તિ ડિપ્રેશન માં સરી પડે છે 
આપઘાતના વિચારો આવે છે.

(6)ડોપામીન ઇમબેલેન્સ ના કારણો

ડોપામીન લેવલ ઈમ્બેલેન્સ થવાના કારણોમાં ;
એક રસપ્રદ સંશોધનના તારણ મુજબ  મેદસ્વીતા અને અમુક ચોક્કસ પ્રકારના રંગસૂત્રો ધરાવતી વ્યક્તિમાં ડોપામીનના લેવલમાં ગરબડ સર્જાય છે 
ઉપરાંત આહાર માં પ્રોટીનની ઉણપ, 
સંતૃપ્ત ચરબીયુક્ત આહારની કમી,
બેઠાડું જીવન,
કસરતનો અભાવ, 
વધતી ઉંમર વગેરે કારણો મુખ્ય ભાગ ભજવે છે 

(7) ડોપામીન ના કુદરતી સોર્સ

ડોપામીનના કુદરતી સોર્સ નીચે મુજબ છે  
ટાયરોસીનનું પ્રમાણ વધુ હોય તેવી વસ્તુઓ જેમકે બદામ,કેળા, બીન્સ,ઈંડા,માછલી,ચીકનમાંથી વગેરે ખાવા થી ડોપામીન નો સ્ત્રાવ વધે છે

રેગ્યુલર કસરત કરવાથી મગજના નવા કોષોનું સતત નિર્માણ થતું રહે છે જેને કારણે ડોપામીન સ્ત્રાવ થાય છે.

અનેક સઁશોધનોથી સાબિત થયું છે કે નિયમિત યોગ અને પ્રાણાયામ કરવાથી ડોપામીનનો સ્ત્રાવ થાય છે જેનાથી મગજનું ફોકસ અને કોન્સન્ટ્રેશન વધે છે અને ડોપામીન નો સ્ત્રાવ થાય છે

મસાજથી  ડોપામીનનું પ્રમાણ લગભગ 30% વધે છે જેને કારણે સ્ટ્રેસમાંથી મુક્તિ મળે છે.અને મગજમાં *કોર્ટીઝોલ નામ ના સ્ટ્રેસ હોર્મોન નું* પ્રમાણ ઘટે છે.જેને કારણે ડોપામીનનો સ્ત્રાવ વધે છે. 

પૂરતાં પ્રમાણમાં ઊંઘ લેવાથી મગજના કોષોનું રીપેરીંગ થાય છે.
પરિણામે ડોપામીન નો સ્ત્રાવ વધે છે

ચોક્કસ પ્રકારનું મ્યુઝિક સાંભળવાને કારણે આનંદની લાગણી થાય છે,સ્ટ્રેસ ઘટાડે છે,મૂડ સુધારે છે એનું મુખ્ય કારણ ડોપામીન સ્ત્રાવ જ છે.

પૂરતા સૂર્ય પ્રકાશ રહેવા થી ડોપામીન નો સ્ત્રાવ વધે છે

આપણાં દેશની શ્રેષ્ઠ પરંપરા મુજબ સ્વજનો,મિત્રો,ગમતાં વ્યક્તિઓ વાતાવરણમાં રહેવાથી 

મનના ભાવો ,મુશ્કેલીઓ શેર કરવાથી,જે વર્તનને કારણે ડોપામીનનું પ્રમાણ વઘ ઘટ થાય છે તે કારણોનો અભ્યાસ કરી અને પ્રયત્નપૂર્વક જો એ વર્તનને કોઈની મદદથી કે મદદ વગર ટાળવામાં આવે તો પણ  ઘણાં પ્રશ્નોનું નિરાકરણ કોઈ સારવાર વગર આવી જાય છે.
બસ બધાં ખુશ રહીએ,તંદુરસ્ત રહીએ.

ડી. ડી.ચાવડા


Comments

  1. Great information about untouched subject in Gujarati.. keep it up

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કર્મ અને ફળ